રાજકોટ શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા સિવિલ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ અને ખાનગી હોસ્પિટલમાં કુલ.૬ દર્દીઓ એમ કુલ.૨૨ દર્દીઓના મોત થયા

રાજકોટ, હિન્દ ન્યૂઝ

તા.૨૮.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાની ક્રૂરતા યથાવત છે. સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારમાંથી સારવાર લઇ રહેલા કુલ.૨૨ દર્દીઓના મોત થયા છે. કોરોનાની સારવાર લઇ રહેલા સિવિલ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ અને ખાનગી હોસ્પિટલમાં કુલ.૬ દર્દીઓ એમ કુલ.૨૨ દર્દીઓના મોત થયા છે. રાજકોટમાં આ સાથે જ ૧૯ દિવસમાં કુલ મૃત્યુઆંક ૩૦૮ થઇ ગયો છે. અને શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૯૦૦ પર પહોંચી ગઇ છે. ગુરૂવારે એટલે કે ૨૭ ઓગસ્ટે કુલ.૩૫ લોકોના ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે ૧૨૨૫ લોકો હજુ પણ સારવાર હેઠળ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment